ગુજરાતી યુવકે સીમ હૈદર પર કર્યો જીવલેણ હુમલો, સીમાનું ગળું દબાવી કહ્યું, મારા પર કાળો જાદુ કર્યો

Rudra
By Rudra 3 Min Read

Seema Haider News: ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમબુદ્ધ નગરના રબૂપુરા ગામમાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલો થયો છે. આ હુમલો શનિવારે 3 એપ્રિલે થયો હતો. જાણકારી અનુસાર યુવકની ઓળખ ગુજરાત નિવાસી તેજસ જાની તરીકે થઈ છે. જાની, ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જાની ગુજરાતથી દિલ્હી આવ્યો અને પછી ત્યાંથી રબૂપુરા પહોંચ્યો હતો.

જાણકારી અનુસાર ઘટના 3 એપ્રિલની સાંજે 7 વાગ્યાની છે. એક યુવક સીમાના ઘરમાં ઘૂસ્યો અને તેના પર હુમલો કર્યો. યુવકે પહેલા ઘરના દરવાજા પર પાટુ મારી અને પછી અંદર ઘુસતા જ સીમા હૈદરનું ગળું દબાવવા લાગ્યો.

સીમાએ તરત બૂમાબૂમ કરી મૂકી, અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને યુવકને મારવા લાગ્યા. બીજી બાજુ સીમાએ તરત પોલીસને ઘટનાની જાણકારી આપી. સીમાના ફોન બાદ ઘટના સ્થળે સુરક્ષાકર્મીઓ પહોંચ્યા.

પોલીસે શું કહ્યું?

પોલીસે યુવકની અટકાયત કરી અને તેનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો. એસીપી સાર્થક સેંગરે કહ્યું કે, આરોપીને અટકાયતમાં લઈને પૂછપરછ કરી રહી છે. તેનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. યુવકે પરિજનોને પણ જાણકારી આપી દીધી છે. સેંગરે કહ્યું કે, જાનીએ પૂછપરછમાં જણાવ્યું છે કે, સીમાએ તેના પર કાળો જાદુ કરી દીધો છે.

જણાવી દઈએ કે, સીમા હૈદર, વર્ષ 2023માં પાકિસ્તાનથી વાયા નેપાળ ભારત આવી હતી. તેનો દાવો હતો કે, પબજી રમતી વખતે તેને નોયડા નિવાસી સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ તે નેપાળ આવી અને ત્યાં સચિન સાથે લગ્ન કર્યા.

તેના વકીલનો દાવો છે કે, સીમા હૈદરે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે અને તે સનાતની મહિલા છે. જણાવી દઈએ કે જ્યારે ભારતે પાકિસ્તાનથી આવેલા તમામ લોકોના વીજા રદ્દ કરી નાખ્યા ત્યારે તે ચર્ચા થવા લાગી હતી કે, શું સીમા પણ પાછી જશે. તેને લઈને તેના વકીલ એપી સિંહે નિવેદન પણ જાહેર કર્યું કે તેનો કેસ એટીએશ પાસે છે અને તમામ કાગળ જમા છે

એપી સિંહે એ પણ કહ્યું હતુ કે ભારતના રાષ્ટ્રપતિ સામે સીમાનો કેસ છે અને અદાલત દ્વારા જામીન આપ્યા બાદ તે નોયડા છોડીને ક્યાંય જઈ શકશે નહીં. તપાસ વગેરે કેસમાં તે ઘટના સ્થળે તંત્રનો પૂરો સહિયોગ પણ કરે છે.

Share This Article