કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને મળ્યું U/A સર્ટિફિકેટ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Rudra
By Rudra 4 Min Read

મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે ૯ ફેરફારો માટે સંમતી દેખાડી છે, અને ફિલ્મના એક દ્રશ્યને દૂર કરવા અથવા બદલવાનું કહેવામાં આવ્યું જેમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરે છે અને ત્યારે તે એક બાળક અને ત્રણ મહિલાઓનું માથું કાપી નાખવામાં આવે છે

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ પર ઘણા સમયથી તલવાર લટકી રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે ત્યારથી લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે. ‘ઇમરજન્સી’ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ વિવાદોમાં ઘેરાયેલા હોવાને કારણે તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જોકે લોકો આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં સેન્સર બોર્ડે તેને U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ઉપરાંત, સેન્સર બોર્ડે નિર્માતાઓને પ્રમાણપત્ર ખાતર ઘણા ફેરફારો કરવા પણ કહ્યું છે.

સર્ટિફિકેટ મળ્યા બાદ ફિલ્મ માટે રસ્તો સાફ થઈ ગયો છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં ત્રણ કટ કરવા કહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પણ ફિલ્મના ઘણા વિવાદાસ્પદ નિવેદનો માટે સાચા તથ્યો પર આધારિત સ્ત્રોતોની માંગણી કરી છે. આમાં અમેરિકન રિચાર્ડ નિક્સનનું એક નિવેદન શામેલ છે, જેમાં તેણે ભારતીય મહિલાઓ વિશે કંઈક અપમાનજનક કહ્યું છે અને અન્ય નિવેદનમાં, વિન્સ્ટન ચર્ચિલે ભારતીયો માટે “સસલાની જેમ સંવર્ધન” શબ્દનો ઉપયોગ કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો, નિર્માતાએ 8 જુલાઈએ ફિલ્મને પ્રમાણપત્ર માટે સબમિટ કરી હતી, જેના લગભગ 3 અઠવાડિયા પછી, અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સહિત શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવાનું શરૂ કર્યું.

સેન્સર બોર્ડે ફિલ્મમાં 10 ફેરફારો કરવા કહ્યું છે, જેમાંથી મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ 9 ફેરફારો માટે સંમત છે. ફિલ્મના એક દ્રશ્યને હટાવવા અથવા બદલવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરી રહ્યા છે, આ દ્રશ્યમાં એક બાળક અને ત્રણ મહિલાઓનું માથું કાપી નાખવામાં આવ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે સીબીએફસીએ 8 ઓગસ્ટે મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડને ફિલ્મમાં ફેરફાર કરવા માટે પત્ર મોકલ્યો હતો, જેનો તેમને 14 ઓગસ્ટે જવાબ મળ્યો હતો. આ જ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા 10 ફેરફારોમાંથી, ફિલ્મ નિર્માતાઓ એક સિવાયના તમામ 9 ફેરફારો માટે સંમત થયા છે. આ સાથે નિવેદનો સંદર્ભે માંગેલા તથ્યપૂર્ણ સૂત્રો પણ આપવામાં આવ્યા છે.

‘ઇમરજન્સી’ પર હંગામો ત્યારે શરૂ થયો જ્યારે તેના ટ્રેલરમાં નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલેને ઇન્દિરા ગાંધીની પાર્ટીને મત લાવવાના બદલામાં અલગ શીખ રાજ્યનું વચન આપતા દર્શાવવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટે મેકર્સને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમને U સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, પરંતુ આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. બોમ્બે હાઈકોર્ટે હવે બોર્ડને 18મી સપ્ટેમ્બર સુધીમાં પ્રમાણપત્ર અંગે કોઈ ર્નિણય લેવાનો આદેશ આપ્યો છે. સેન્સર બોર્ડ તેની સામગ્રી અનુસાર ફિલ્મ માટે અલગ-અલગ પ્રમાણપત્રો જારી કરે છે, જેમાં દર્શકોની શ્રેણી નક્કી કરવામાં આવે છે. છે. U/A પ્રમાણપત્ર, U પ્રમાણપત્ર, A પ્રમાણપત્ર અને જી પ્રમાણપત્ર છે. આમાં U/A સર્ટિફિકેટ એટલે કે 12 વર્ષની ઉંમરના બાળકો તેમના માતા-પિતાની દેખરેખ હેઠળ ફિલ્મ જોઈ શકે છે. જો કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેને લઈનો કોઈ ડેટ જાહેર કરવામાં આવી નથી.

Share This Article