પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં 3 યુવકોના બેભાન થયા બાદ મોત
સુરત : ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન કરાવી રહ્યાં છે. હાર્ટ એટેક બિલાડીના ટોપની જેમ ફૂટી રહ્યાં છે. સુરતમાં હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓ યથાવત છે. સુરતમાં હાર્ટ એટેક કહેર મચાવી રહ્યો છે. ત્યારે સુરતમાં ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં ૩ યુવકોના બેભાન થયા બાદ મોત થયા હતા.જાેકે તમામ કેસમાં હોસ્પિટલના ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્તિ કરી હતી. જાેકે, ચિંતાની વાત એ છે કે, ત્રણેય યુવકો એક જ પેટર્નથી મોતને ભેટ્યા હતા.
જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન કરાયું
અમદાવાદ : જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું ઐતિહાસિક...
Read more