વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વડોદરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યુ છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે. ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. ચાંદોદ, ભીમપુરા, નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ચાંદોદમાં એક માળ સુધી દુકાનો મકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે. એક માળ સુધી પાણી ભરાતા લોકો જીવના જોખમે સ્થળાંત કરવા મજબૂર બન્યા છે. લોકોને જીવના જોખમે હોડીમાં લઇ જઇ રહ્યાં છે. તો ધોધમાર વરસાદના પગલે ઓરસગં અને નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

Share This Article