વડોદરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યુ છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે. ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. ચાંદોદ, ભીમપુરા, નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ચાંદોદમાં એક માળ સુધી દુકાનો મકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે. એક માળ સુધી પાણી ભરાતા લોકો જીવના જોખમે સ્થળાંત કરવા મજબૂર બન્યા છે. લોકોને જીવના જોખમે હોડીમાં લઇ જઇ રહ્યાં છે. તો ધોધમાર વરસાદના પગલે ઓરસગં અને નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
Ahmedabad: વટવામાંથી 200 કિલોથી વધુના ગાંજા અને એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ
અમદાવાદ : ફરી એક વાર અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે, ગેરકાયદેસર રીતે કરવામાં આવતો નશાનો કાળો કારોબારનો પર્દાફાશ...
Read more