રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પર કોંગ્રેસે સૌથી મોટો આરોપ લગાવતા હડકંપ મચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નવાના નામે જૂના પાઠ્ય પુસ્તકો પધરાવી દેવામાં આવ્યા છે. પાઠ્ય પુસ્તક મંડળ જૂના પુસ્તકો વેચી ગોડાઉન ખાલી કરી રહ્યુ છે અને સરકારને અંધારામાં રાખી રહ્યુ છે. કોંગ્રેસે એ પણ આરોપ લગાવ્યો છે કે નવાના બદલે જૂના પુસ્તકો વિદ્યાર્થીઓને પધરાવી નફો રળવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસે માગ કરી છે કે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જૂના પુસ્તકો બદલી નવા આપવામાં આવે. હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે રાજ્યના ૮ હજાર વિતરકોને પણ જૂના કોર્સના પુસ્તકો વેચવામાં આવ્યા છે.
એનક્વાલા નેચર ઓ કેર અને જિમ લોન્જના સહયોગમાં ઓપ્ટિમાઇઝ IV દ્વારા અમદાવાદમાં પ્રથમવાર પર્સનાલિટી પેજન્ટ, કોમ્પિટિશનનું આયોજન
અમદાવાદ: આનંદનગર વિસ્તાર ખાતે આવેલા જીમ લોન્જ ખાતે 2 દિવસીય એટલે કે 10 અને 11મેનાં રોજ સ્ટારસ્ટ્રક દ્વારા અમદાવાદનાં પ્રથમ પર્સનાલિટી પેજન્ટનું ઓડિશન માટેની આયોજન...
Read more