અયોધ્યા : મધ્યસ્થતા અંગે સુપ્રીમનો ચુકાદો અનામત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી :  અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થતા માટે મોકલી દેવામાં આવે કે કેમ તેને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મુસ્લિમ પક્ષે મધ્યસ્થતા માટે સહમતી દર્શાવી હતી. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કહ્યુ હતુ કે કોઇ પણ પ્રકારની સમજુતી પાર્ટીઓને બાંધી જેશે. નિર્મોહી અખાડા દ્વારા પણ મધ્યસ્થતાની તરફેણમાં દલીલ આપવામા આવી હતી. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પણ મધ્યસ્થતાની તરફેણ કરી હતી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં  કહ્યુ હતુ કે આ વિવાદ બે સમુદાય વચ્ચે છે. જેથી તમામને રાજી કરવાની બાબત સરળ નથી. આજે મામલામાં સુનાવણી કરવામાં આવી હતી. જે દરમિયાન તમામ પક્ષોએ પોત પોતાની રજૂઆત કરી હતી.

અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં આ મામલાની સુનાવણી આવતીકાલથી શરૂ થશે. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.  રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજા હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે.

બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. આજે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમે તમામ રજૂઆત સાંભળી હતી.

Share This Article