એનએસસીએન (કિટોવી-નિયોપાક) જૂથના એક મોટા ઉગ્રવાદીની નાગાલેંડમાં ૨૩ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી, જેથી નાગા વિદ્રોહીઓને મોટી અસર પહોંચશે.
એનએસસીએનના આ મોટા ઉગ્રવાદીની ગતિવિધિઓ વિશે એનઆઇએને યોગ્ય સૂચના મળી હતી કે તે દિમાપુરથી જુનહેબોતો તરફ અગ્રેસર છે. ત્યારબાદ આસામ રાઇફલ્સ અને એનઆઇએની સંયુક્ત ટીમને ૨૩ જાન્યુઆરીની સવારે નાગાલેંડના કોહિમા જિલ્લામાં અનેક વાહન ચેક પોસ્ટ લગાવી હતી. જ્યાં જુબજા ખાતે વાહન તપાસ દરમિયાન આસામ રાઇફલ્સની એક ટીમે એનએસસીએન (કેએન)ના બ્રિગેડિયરને બે અન્ય ઉગ્રવાદીઓની સાથે ધરપકડ કરવામાં આવી.
આ ઉગ્રવાદીની ઓળખાણ સ્વયંભૂ બ્રિગેડિયર એહેતો એચ ચોફી- ગામ યેહેમી તરીકે કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ઉગ્રવાદીઓમાં વિટ્ટી મારક અ મુગાહોતો સુમીની ધરપકડ કરવામાં આવી છે.
અભિયાન દરમિયાન એક ટાઇપ-૫૬ રાઇફલ, ૨ પિસ્તોલ, ૧૭૬ રાઉંડ ગોળીઓ, ૧,૩૨,૩૨૦ ભારતીય ચલણ, મોબાઇલ અને વાંધાજનક દસ્તાવેજ કબ્જે લેવામાં આવ્યા છે.