અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ રહેતા લોકોમાં રોમાંચની સ્થિતિ રહી હતી. મોનસુનની સિઝનની વિદાય થઇ રહી છે ત્યારે ઘણા ભાગોમાં છેલ્લા તબક્કામાં વરસાદ પડી રહ્યો છે. આજે અમરેલી અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદના લીધે અનેક જગ્યાએ વિજળી ડુલ થઇ ગઈ હતી.

બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ અરબી દરિયામાં લોપ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે છે જેથી માછીમારોને ૪૮ કલાક સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કચ્છમાં ૮૯ ટકા વરસાદની ઘટ રહી છે અને માત્ર ૨૬.૫૧ ટકા વરસાદ થયો છે.

ગુજરાતમાં સરેરાશ ૭૬.૬૧ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાનના કહેવા મુજબ દક્ષિણમાં હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી નોંધાયું હતુ ંજ્યારે ભુજમાં આજે પણ પારો ૪૦.૬ સુધી રહ્યો હતો. આ વર્ષે નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો છે. જા કે, દેશના ૨૫૧ જિલ્લામાં દુષ્કાળનું સંકટ છે.  દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ૧૯મી સપ્ટેમ્બર સુધી આ આંકડો માઇનસ ૧૦ ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે.

TAGGED:
Share This Article