વિજય માલ્યાનું આલીશાન જેટ થયુ નિલામ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ભારતીય બેંક પાસેથી લોન લઇને પરત ના ચૂકવી શકનાર વિજય માલ્યા ભારતની બહાર જતા રહ્યે છે. ઘણા લાંબા સમયથી તેણે પોતે નિર્દોષ છે તે બાબત પર કાંઇ કહ્યુ નથી. હાલમાં જ વિજય માલ્યનું પ્રાઇવેટ આલિશાન જેટની નિલામી કરવામાં આવી હતી. માલ્યાનું આ લગ્ઝરી જેટ 34. 08 કરોડ રૂપિયામાં વેચાયુ હતુ. ત્રણ વાર આ જેટની નિલામી રાખવામાં આવી હતી પરંતુ કાયદાને લીધે ત્રણ વાર નિલામી સફળ થઇ નહોતી.

અમેરિકા બેસ્ડ કંપની એવિએશન મેનેજમેન્ટ સેલ્સે વિજય માલ્યાનું આ જેટ ખરીદ્યુ છે. આ જેટ માટેની ઉંચામાં ઉંચી બોલી મુંબઇ હાઇકોર્ટની મંજૂરીને આધીન છે. આ જેટ ખરીદવા માટે કંપનીએ 5.05 બિલિયનની બોલી લગાવવામાં આવી હતી.

માલ્યાનુ આ જેટ લગ્ઝરી છે. તેની અંદર કસ્ટમાઇઝ ફર્નિચર પણ છે. આમ તો આ જેટની કિંમત 100 મિલિયન ડોલર છે, પરંતુ નિલામીને કારણે અમેરિકી કંપનીને આ જેટ ખૂબ સસ્તામાં મળી ગયુ હતુ.  બીજી તરફ છેલ્લા પાંચ વર્ષથી આ જેટે કોઇ ઉડાન નથી ભરી તેના લીધે તેની ગ્રાઉંડ કંડિશન પર સવાલ ઉઠી શકે છે. જેના લીધે ખૂબ સસ્તામાં આ પ્લેન અમેરિકી કંપનીને સોંપી દેવામાં આવ્યુ છે.

Share This Article