૬૫માં નેશનલ એવોર્ડમાં શ્રીદેવી અને વિનોદ ખન્ના પણ સન્માનિત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

નવી દિલ્હી ખાતે ૬૫મો નેશનલ એવોર્ડ યોજાશે. જેમાં બોલિવુડનાં ઘણા મહારથીઓને સન્માનિત કરવામાં આવશે. તેમાં વિવિધ કેટગરી હશે અને દરેક કેટેગરીમાં ઉત્તમ કાર્ય કરનારને વિવિધ અવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

અવોર્ડમાં આ વખતનું મુખ્ય આકર્ષણ એ છે કે તેમાં શ્રીદેવી અને વિનોદ ખન્નાને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમને આપણે પાછલા વર્ષમાં જ ગુમાવી ચૂક્યા છીએ. જેમાં શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસ ઓફ રીવેન્ડ ડ્રામા કેટગરિમાં ફિલ્મ મોમ માટે એવોર્ડ અપાશે. જ્યારે વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ન્યૂટનને બેસ્ટ ફિલ્મ માટે એવોર્ડ એનાયત થશે.

બોલિવુડનાં આ બેનમૂન સિતારાઓ સૃષ્ટિથી વિલિન થઈ ગયા બાદ પણ એવોર્ડ નાઈટમાં તેમનાં કાર્યને લીધે ચમકતા નજરે પડશે. ખબરપત્રી ટીમ તરફથી બન્ને દિગ્ગજ કલાકારોને શ્રધ્ધાંજલી.

Share This Article