કારગિલ યુદ્ધને ૨૪ વર્ષ પૂર્ણ થયાપ સેનાના પરાક્રમ અને શોર્યને દેશ આ રીતે કરી રહ્યો છે યાદ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં ૫૦૦થી વધુ ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું. લોકો કારગીલ યુદ્ધની વિજય ગાથાને કેવી રીતે યાદ કરી રહ્યા છે. આ પ્રસંગને દેશ કેવી રીતે ઉજવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્‌વીટ કર્યું કે, કારગિલ વિજય દિવસના ગૌરવપૂર્ણ અવસર પર તમામ દેશવાસીઓ આપણા સશસ્ત્ર દળોના અસાધારણ બહાદુરીથી મળેલી જીતને યાદ કરે છે. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી હું એવા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપીને વિજયનો માર્ગ મોકળો કર્યો અને તેમની સ્મૃતિને નમન કરું છું. તેમની બહાદુરીની ગાથાઓ આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. જય હિન્દ!..”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કારગિલ વિજય દિવસ ભારતના તે અદ્ભુત નાયકોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આ ખાસ દિવસે, હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. લદ્દાખઃ કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કારગિલ દિવસના અવસર પર ટ્‌વીટ કરીને કહ્યું કે, “તારી કીર્તિ અમર રહે માતા, અમે વધુ દિવસો સુધી શકીએ કે ન જીવી શકીએ. ભારતીય સેનાની અપાર બહાદુરી, અજોડ કાર્યક્ષમતા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્ર પ્રથમની ઉચ્ચ ભાવનાના મહાન પ્રતીક ‘કારગિલ વિજય દિવસ’ પર રાજ્યના તમામ રહેવાસીઓને હાર્દિક અભિનંદન! રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર ભારતમાતાના તમામ અમર સપૂતોને શત શત વંદન!..”

ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Share This Article