પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૨૦૦ માછીમારો વતન પરત ફર્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. અને ત્યારબાદ ૪ બસમાં તેમને વતન રવાના કરવામાં આવ્યા હતા. માછીમારોને ૨ જૂને વાઘા બોર્ડર પર ભારત સરકારના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. અને ત્યાંથી વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને લેવા માટે મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર ગયા હતા. તેમની સાથે પરત ફરેલા માછીમારોમાં ગીરસોમનાથ જિલ્લાના ૧૨૯, દેવભૂમિદ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫, પોરબંદરના ૪, દીવના ૧૫, મહારાષ્ટ્રના ૬, ઉત્તરપ્રદેશના ૫ અને બિહારના ૩ માછીમારોનો સમાવેશ થાય છે. હજુ પણ ૨૦૦થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને મુક્ત કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more