પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૨૦૦ માછીમારો વતન પરત ફર્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. અને ત્યારબાદ ૪ બસમાં તેમને વતન રવાના કરવામાં આવ્યા હતા. માછીમારોને ૨ જૂને વાઘા બોર્ડર પર ભારત સરકારના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. અને ત્યાંથી વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને લેવા માટે મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર ગયા હતા. તેમની સાથે પરત ફરેલા માછીમારોમાં ગીરસોમનાથ જિલ્લાના ૧૨૯, દેવભૂમિદ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫, પોરબંદરના ૪, દીવના ૧૫, મહારાષ્ટ્રના ૬, ઉત્તરપ્રદેશના ૫ અને બિહારના ૩ માછીમારોનો સમાવેશ થાય છે. હજુ પણ ૨૦૦થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને મુક્ત કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more