મલાઇકા સાથે હાલમાં લગ્ન કરશે નહીં :  અર્જુનનો ધડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : અર્જુન કપુર અને સેક્સી સ્ટાર મલાઇકા અરોરાના લગ્નને લઇને જારદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે આ સંબંધમાં વાત કરતા અર્જુન કપુરે કહ્યુ છે કે તે હાલમાં લગ્ન કરવા જઇ રહ્યો નથી. જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તમામ બાબતોને લઇને ખુલાસો કરશે. મલાઇકા અને અર્જુન કપુરના સંબંધોને લઇને હવે સતત ચર્ચા રહે છે. અભિનેતા અર્જુન કપુરના લગ્નને લઇને ચર્ચા છે. એમ કહેવામાં આવે છે કે તે ટુંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરનાર છે. આ અટકળો માટે કારણ એ છે ે બંને સતત સાથે નજરે પડે છે.  વિદેશમાં પણ સાથે જઇ ચુક્યા છે. કી એન્ડ કા ફિલ્મમાં પોતાને મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે ગણાવનાર અર્જુને કહ્યુ છે કે તે ફિલ્મ રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.

લગ્ન કરવા માટે અર્જુન કપુર તૈયાર છે કે કેમ તે અંગે પુછવામાં આવતા અર્જુને રદિયો આપ્યો છે. અર્જુને કહ્યુ છે કે તે લગ્ન કરવા જ રહ્યો નથી. અર્જુન પાસે હાલમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપુત અને પરણિતી ચોપડાની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મ હાથમાં રહેલી છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે. હાલમાં મલાઇકા અરોરા કોઇ ફિલ્મ કરી રહી નથી પરંતુ તે સોશિયલ મિડિયામાં તેના ફોટાના કારણે ચર્ચામાં રહે છે. સોશયલ મિડિયામાં તેના સેક્સી ફોટાની ચર્ચા હમેંશા જાવા મળે છે.

મલાઇકા અરોરા ખાન અને અર્જુન કપુરના સંબંધો છેલ્લા કેટલાક સમયથી છે. બોલિવુડની સાથે સાથે સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ તેની ચર્ચા છે. આવી સ્થિતીમાં મલાઇકા અને અર્જુન કપુર હવે કોઇ પણ સમય પર લગ્નની જાહેરાત કરી શકે છે. મલાઇકા ફેશન અને મોડલિંગ ક્ષેત્રમાં તેની ખાસ પ્રતિષ્ઠા ધરાવે છે. તે ન્યુઝમેકર્સ તરીકે હમેંશા ચર્ચામાં રહી છે. લગ્ન કરશે તો  કોઇ વાત તે સ્વીકાર કરશે નહીં.

Share This Article