ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ભાવનગર ખાતે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ખાતે ફાર્મસી રજીસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન, રીન્યુઅલ, રી-એન્ટ્રી, ગુડ સ્ટેન્ડીંગ સર્ટીફીકેટ, સરનામા અને નામમાં ફેરફાર, ડુપ્લીકેટ સર્ટીફીકેટ, ડુ્પ્લીકેટ રીન્યુઅલ રસીદ, ડીગ્રી એડીશન વગેરેની અરજી કરવા માગતા ફાર્માસીસ્ટોએ જરૂરી દસ્તાવેજો સાથે તારીખ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮, રવિવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર ખાતે હાજર રહેવું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’...
Read more