અખબારનગર સર્કલ પાસે બુધવારે રાત્રે આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી રૂપિયા ૨૭ લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી બાઇકસવાર બે લૂંટારું ફરાર થઈ ગયા હતા. પેઢીની અખબારનગર ખાતેની ઓફિસથી દાગીના ભરેલો થેલો લઈ બંને કર્મચારી માણેકચોક ખાતેની પેઢીની મેઇન ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મસાલો ખાવા ગલ્લે ઊભા રહ્યા હતા. આ સમયે બાઈક પર આવેલા બે લૂંટારું એક્ટિવાની આગળથી થેલો લૂંટીને ભાગી ગયા હતા. માણેકચોકની અમૃત કાંતિલાલ પટેલ આંગડિયા પેઢીના બે કર્મચારી બુધવારે રાત્રે અખબારનગરમાં રતન કોમ્પલેક્સમાં આવેલી તેમની ઓફિસમાં દાગીનાનું પાર્સલ લેવા આવ્યા હતા. બંને કર્મચારી ૨૭ લાખના દાગીના થેલામાં લઈ એક્ટિવા પર માણેકચોક જવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે બંને લૂંટારુંની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે રીતે બંને લૂંટારું દાગીના ભરેલો થેલો લૂંટી ગયા હતા, તે જોતા તેઓ આંગળીયા પેઢીના કર્મચારીની રેકી કરતા હોવાનું જણાઈ આવે છે.
આ ૮ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
વર્ષ ૨૦૨૪-૨૫માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી...
Read more