અમદાવાદમાં ઇન્ટરનેશનલ આઈપી કોન્ફરન્સનું આયોજન કરાયું, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ ખાતે યોજાયેલા 19મા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સંમેલનમાં “IP, AI & Global Governance” વિષય પર વિશેષ મથામણ થઈ. સંમેલનમાં દેશ-વિદેશના નિષ્ણાતો, કાનૂની સલાહકારો, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ભાગ લઈને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના ઝડપી વિકાસ સાથે ઊભા થતા બૌદ્ધિક સંપદા સંબંધિત પડકારો પર ચર્ચા કરી.

નિષ્ણાતોએ જણાવ્યું કે AI આધારિત નવીનતાઓના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખતાં પેટન્ટ સુરક્ષા, ડેટા માલિકી, લાઇસેન્સિંગ અને જવાબદારી જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને આવી રહ્યા છે. ખાસ કરીને Generative AI દ્વારા સર્જાતા કન્ટેન્ટમાં માલિકી અને લેખકત્વ અંગે સ્પષ્ટ કાનૂની માળખાની જરૂરિયાત પર ભાર મુકાયો. AI લાઇસેન્સિંગમાં ઉદ્ભવતા કાનૂની જોખમો અને બૌદ્ધિક સંપદા હક્કોની સુરક્ષા ઉદ્યોગ માટે આગામી સમયમાં મહત્વપૂર્ણ બનશે તેવી ચર્ચા પણ થઈ.

સંમેલનમાં એ મુદ્દો પણ સામે આવ્યો કે કંપનીઓ માટે IP હવે માત્ર સંરક્ષણનું સાધન નથી, પરંતુ વ્યાપારી સંપત્તિ તરીકે વિકસતી જતી છે. લાઇસેન્સિંગ, ક્રોસ-લાઇસેન્સિંગ અને વ્યૂહાત્મક પેટન્ટ મેનેજમેન્ટ દ્વારા કંપનીઓ આવક વધારી શકે છે અને સ્પર્ધાત્મક લાભ મેળવી શકે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે IP અને AI ગવર્નન્સમાં સુસંગતતા, પારદર્શિતા અને સહયોગ અત્યંત જરૂરી બની રહ્યો છે. આ સંમેલન નવીનતા, નીતિ અને ટેક્નોલોજી વચ્ચે સંકલન વધારવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું હોવાનું જણાવાયું.

 

Share This Article