Shefali Jariwala Death Reason: શેફાલી જરીવાલાના અવસાનને આજે ત્રણ દિવસ થઈ ગયા છે. તેમના અંતિમ સંસ્કાર બાદ પતિ અને અભિનેતા પરાગ ત્યાગીએ તેમની અસ્થિઓ વિસર્જિત કરી હતી અને બાકીની વિધિઓ પણ પૂર્ણ કરી હતી. આ દરમિયાન પરાગ ભાંગી પડ્યો હતો રડતા જોવા મળ્યા. જે કોઈએ પણ આ દ્રશ્ય જોયું તેનું દિલ દ્રવી ગયું. વીડિયોમાં પરાગનો દુઃખ સ્પષ્ટ દેખાય છે. શેફાલીના મોત બાદ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેઓએ તે દિવસે શું શું થયું તે જણાવ્યું હતુ.
પ્રાથમિક પોલીસ રિપોર્ટ અનુસાર, શેફાલીનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ ગયું હતુ જેને કારણે તેઓ બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમનું અવસાન થયું હતું. તે થોડા સમયથી પોતાને વધુ સુંદર અને યુવાન દેખાવા માટે ટ્રીટમેન્ટ લઈ રહી હતી. પોલીસે તેમના ઘરમાંથી વિટામિન C અને ગ્લુટાથિઓનના બે ડબ્બા પણ શોધી કાઢ્યા છે.
મૃત્યુના એક દિવસ પહેલાં શેફાલીના ઘરે પૂજા રાખવામાં આવી હતી અને તેમણે ઉપવાસ પણ રાખ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિવારમાંના તમામ સભ્યો અને પતિ પરાગ ત્યાગીના નિવેદનો લેવામાં આવ્યા છે અને કોઈ ફરિયાદ કે શંકાસ્પદ વાત મળી નથી. કોઈ પણ પ્રકારની ગડબડી દેખાઈ નથી. હાલ પોલીસે આ ઘટનાને ‘આકસ્મિક મોત’ (Accidental Death) તરીકે નોંધી છે.
ભારતીય ન્યાય વિધાન અનુસાર, ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એમ્બોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડોક્ટર્સનું કહેવું છે કે તેમને શંકા છે કે મૃત્યુનું કારણ બ્લડ પ્રેશર ખૂબ ઓછું હોવું હોઈ શકે છે.
પોલીસે કહ્યું કે એક્ટ્રેસે સત્યાનારાયણ ભગવાનની પૂજા માટે ઉપવાસ રાખ્યો હતો. તેમાં તેમના માતા-પિતા પણ હાજર હતા. પતિ પરાગના કહેવા મુજબ, શેફાલીએ ફ્રીઝમાં રાખેલું ખાવાનું ખાધું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ ગઈ હતી. પોલીસ મુજબ, હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું.