એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા ઓફરનું એલાન કરવામાં આવ્યું
અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનું આગમન થતાની સાથે જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ અવસર પર એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા શાનદાર ઓફરનું એલાન કરવામાં આવ્યું છે. એરલાઈન્સ કંપનીએ દેશના પ્રમુખ ડેસ્ટિનેશન માટે માત્ર ૧૬૨૨ રુપિયાની ટિકિટની જાહેરાત કરી છે. સ્પાઈસજેટની સ્પેશ્યિલ સેલ- બુકિંગ – ૨૨ જાન્યુઆરી થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ સુધી, યાત્રા – ૨૨ જાન્યુઆરીથી-૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, કેટલીક ઘરેલૂ અને આતંરરાષ્ટ્રીય એકતરફા ફલાઈટ માટેની ઓફર, ગ્રુપ બુકિંગ માટે આ ઓફર લાગુ નથી પડતી, બુકિંગ કેન્સલ થતા ચાર્જ સાથે પૈસા પરત કરવામાં આવશે, આ ઓફરને કોઈ અન્ય ઓફર સાથે સંયુક્ત નહીં કરી શકાય અને ફ્રીમાં ટ્રાવેલની ડેટ ચેન્જ કરાવી શકાય છે. સ્પાઇસજેટની માહિતી અનુસાર, આકર્ષક ભાડું રૂ. ૧૬૨૨/- થી શરૂ થાય છે. તમે સ્પાઇસમેક્સ, માઇલ્સ, યુ ફર્સ્ટ અને પ્રિફર્ડ સીટ પર ૩૦% સુધી ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકશો. બુકિંગનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સમય ૨૨ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪નો છે. મુસાફરીનો સમયગાળોઃ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪. ત્યાં મર્યાદિત સીટો છે જેના માટે ઑફર ઉપલબ્ધ છે. આ બેઠકો પહેલા આવો પહેલા સેવાના ધોરણે ઉપલબ્ધ છે. આ ખાસ અવસરને ચિહ્નિત કરવા અને એર કનેક્ટિવિટી વધારવા માટે, સ્પાઈસજેટે ભારતના મોટા શહેરોને અયોધ્યા સાથે જાેડતી નવી ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી, સ્પાઈસજેટ દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, જયપુર, પટના, દરભંગા અને મુંબઈ માટે નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરશે.
iPhone લવર્સ માટે ખુશ ખબર !!! આજથી મેડ ઈન ઈન્ડિયા iPhone 16 નું વેચાણ શરુ……
ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, પ્રિ બૂકિંગ્સ શરૂ થયા Apple લવર્સ લાંબા સમયથી iPhone 16 સીરિઝની રાહ જોઈ રહ્યા છે....
Read more