હૈદરાબાદ ગેંગરેપ મર્ડર : ચારે નરાધમ એન્કાઉન્ટરમાં ફુંકાયા

News KhabarPatri
3 Min Read

સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદ વેટનરી તબીબ પર ગેંગ રેપ અને ત્યારબાદ તેની હત્યા કરીને તેને સળગાવી દેવાની ઘટનાના ૧૦ દિસ બાદ આજે ચારેય નરાધમ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. હૈદરાબાદના પોલીસ કમીશ્નર વીસી સજ્જનારે આ તમામ નરાધમો ઠાર થયા હોવાની કબુલાત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નરાધમોએ એ વખતે ભાગી છુટવાના પ્રયાસ કર્યા હતા જ્યારે પોલીસ તેમને ઘટનાસ્થળ પર ક્રાઇમ સીન દોહરાવવા માટે લઇને પહોંચી હતી. સજ્જનારે કહ્યુ હતુ કે આ ઘટના વહેલી સવારે ત્રણ વાગ્યાથી લઇને છ વાગ્યા વચ્ચે બની હતી. તેમણે કહ્યુ હતુ કે એન્કાઉન્ટરમાં ગેંગ રેપ અને મર્ડરના આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશવુલુ માર્યા ગયા છે. તેમણે કહ્ય હતુ કે તેઓ પોતે પણ વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સંજોગની વાત છે કે તમામ આરોપી એ જગ્યાએ ઠાર થયા છે જ્યાં ૧૦ દિવસ પહેલા મહિલા તબીબની સાથે રેપની ઘટના બની હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ ક્રાઇમ સીન દોહરાવવા માટે આરોપીઓને લઇને પોલીસ પહોંચી હતી. એ વખતે આરોપીઓ ભાગી છુટવાના પ્રયાસ કર્યા હતા. તેમનો પીછો કરવામાં આવ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા હતા.

પોલીસે મોડેથી તમામના મૃતદેહને ઘટનાસ્થળથી દુર કરી દીધા હતા. કોઇ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે પોલીસે તમામના મૃતદેહોને ત્યાંથી દુર કરી દીધા હતા. શમ્શાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ કહ્યુ હતુ કે હૈદરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઇમ સ્પોટ પર લઇને ગઇ હતી. સીનને રિક્રેએટ કરવાના પ્રયાસરૂપે આરોપીઓને લઇને પોલીસ પહોંચી હતી. આ ગાળા દરમિયાન આરોપીઓને પોલીસના હથિયારો આંચકી લઇને ભાગવાના પ્રયાસ કર્યા હતા. જેના ભાગરૂપે પોલીસે આત્મરક્ષામાં ગોળીબાર કર્યો હતો. જેમાં ચારે આરોપી ફુંકાયા હતા. તેલંગાણાના કાનુન મંત્રી ઇન્દ્રકરણ રેડ્ડીએ કહ્યુ હતુ કે કાનુની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલા જ ભગવાને તેમને યોગ્ય સજા આપી દીધી છે. આ બનાવ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ પોલીસના હથિયારોને લઇને ભાગી જવાના પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ તમામને લઇને ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની કડીઓને જોડી શકાય તે માટે ઘટનાસ્થળે પોલીસ આરોપીઓને લઇને પહોંચી હતી. પોલીસની કાર્યવાહી આ તપાસ માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે.

હૈદરાબાદ પોલીસની કાર્યવાહીને યુપીના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે યોગ્ય ગણાવીને કહ્યુ છે કે આવી સ્થિતિમાં પોલીસ પાસે કોઇ વિકલ્પ રહેતા નથી. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં પોલીસે કહ્યુ છે કે હૈદરાબાદ પોલીસ આ ઘટના માટે અભિનંદનને પાત્ર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે હૈદરાબાદ કાંડ બાદ સમગ્ર દેશમાં નારાજગી પ્રવર્તી રહી હતી. આરોપીઓને જાહેરમાં ફાસી આપવાની માંગ થઇ રહી હતી. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે નિર્ભયા કાંડ બાદ જે રીતે લોકોમાં આક્રોશ હતો તેવો જ આક્રોશ આને લઇને હતો. આજે આરોપીઓને ફુંકી મારવામાં આવ્યા હતા. હૈદરાબાદ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *