સંજુ બાદ વધુ એક બાયોપિક ફિલ્મ કરવા રણબીર સુસજ્જ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇઃ સંજય દત્તની લાઇફ પર સંજુ નામની ફિલ્મમાં કામ કરીને તમામ જુની ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા બાદ યુવા પેઢીમાં લોકપ્રિય રણબીર કપુર વધુ એક બાયોપિક ફિલ્મ કરવા માટે તૈયાર થયો છે. હાલમાં જુદા જુદા લોકો પર બાયોપિક ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય  કરવામાં આવ્યો છે.

બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં અન્ય બાયોપિક ફિલ્મ પણ બની રહી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનનાર છે.

પહેલા અક્ષય કુમાર જ લીડ રોલ અદા કરનાર હતો. જો કે કેટલાક વિવાદ બાદ અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી છે. મુગલના ફિલ્મ મેકર્સ હવે રણબીર કપુરને કાસ્ટ કરવા વિચારી રહ્યા છે. ભૂષણ કુમાર માને છે કે રણબીર કપુર પરફેક્ટ સાબિત થઇ શકે છે. તે સારા અભિનેતા હોવાની સાથે સાથે સારી માર્કેટ વેલ્યુ પણ ધરાવે છે. રણબીર સાથે ફિલ્મ નિર્માતા વાતચીત કરી ચુક્યા હોવાના હેવાલ મળ્યા છે. સંજુ બાદ રણબીર બીજી બાયોપિક ફિલ્મ કરનાર છે. સંજુમાં તેની ચારાજુ પ્રશંસા થઇ હતી.

ફિલ્મે સફળતાના કેટલાક રેકોર્ડ તોડી દીધા છે. હાલમાં તે બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં છે. જેમાં તે આલિયા સાથે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મ ૨૫મી ઓગષ્ટે રજૂ કરાશે. રણબીર કપુર બોલિવુડમાં સંજુ બાદ ફરી એકવાર સુપર સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.

Share This Article