તમામ જાણકાર નિષ્ણાંતો કહે છે કે વય વધવાની સાથે સાથે પાચનતંત્ર કમજોર પડે છે. હાડકાના નિષ્ણાંત તબીબો કહે છે કે ૩૦ વર્ષની વય પાર કરી લીધા બાદ શરીર સરળતાથી ડાયટમાં સામેલ કરવામાં આવેલા કેલ્શિયમના પ્રમાણને પૂર્ણ રીતે ઓબ્જાર્વ કરવામાં નિષ્ફળ રહે છે. આવી સ્થિતીમાં ૩૦ વર્ષની વય પૂર્ણ થયા બાદ કેલ્શિયમની કમીનો ખતરો અનેક ગણો વધી જાય છે. જેથી જરૂરી છે કે ૩૦ વર્ષની વય બાદ પોતાની ડાયટમાં કેલ્શિયમની કમીને પૂર્ણ કરવામાં આવે.
કેલ્શિયમની કમીને પૂર્ણ કરવા માટે કેટલીક ચીજોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકાય છે. સોયાબીન, તલ, લિમ્બુ પાણી, જીરુ પાણી, સવારમાં તાપ લેવાની બાબત ઉપયોગી સાબિત થાય છે. સવારમાં આઠ વાગેથી પહેલા ૧૦ મિનિટ માટે તાપ પણ ઉપયોગી સાબિત થાય છે. સોયાબિનનો ઉપયોગ સપ્તાહમાં એક વખત કરવામાં આવે તો ફાયદો થાય છે. જેથી શરીરમાં પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે. લિમ્બુ પાણી રોજ સાંજે એક ગ્લાસ પિવામાં આવે તો ફાયદો થાય છે. આના કારણે વિટામિન સી કેલ્શિયમ લેવામાં મદદ મળે છે. દિવસ દરમિયાન કેટલાક ખાટા ફળ લેવાથી ફાયદો મળે છે. લીલા શાકભાજી ખાવાથી પણ ખુબ મોટો ફાયદો થાય છે. તેમાં દરેક પ્રકારના પૌષક તત્વો રહે છે.
ડેયરી પ્રોડક્ટસ પુરતા પ્રમાણમાં લેવામાં આવે તો ફાયદો થાય છે. રાત્રે ગાળામાં બે અંજીર અને ચાર બદામ પલાડીને મુકી દેવાથી ફાયદો થાય છે. ડેયરી પ્રોડ્ક્ટનો ઉપયોગ લાભ કરાવે છે. જેમાં દુધ, પનીર, દહીનો સમાવેશ થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ મહત્વપૂર્ણ છે. આનાથી શરીરની ઘણી જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. હાડકાંઓને મજબૂત કરવામાં પણ કેલ્શિયમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. કેલ્શિયમ બાળપણમાં શરીરને મજબૂત અને હાડકાંઓને મજબૂત કરવામાં ભૂમિકા ભજવે છે. સગર્ભા મહિલાઓ માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. ગર્ભમાં રહેલા બાળકોના વિકાસમાં પણ કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જેથી પોતાની માતાના કારણે બાળકને કેલ્શિયમ મળે છે.
વૃદ્ધાવસ્થા તરફ વધી રહેલી મહિલાઓમાં કેલ્શિયમની કમી હોવાની સ્થિતિમાં બિમારીના ખતરા રહે છે. શરીરમાં આશરે ૯૦ ટકા કેલ્શિયમ હાડકાં અને દાંતમાં જમા થાય છે. બાકીનું કેલ્શિયમનું પ્રમાણ લોહી અને સ્નાયુઓમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. સ્નાયુ અને કોશિકાઓને ફેલાવવામાં પણ તેની ભૂમિકા હોય છે. હાર્મોન અને એન્જાઈંમના ફેલાવા માટે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
ભોજન મારફતે કેલ્શિયમની અછત દૂર કરવામાં આવે તે અતિ જરૂરી છે. આગામી દિવસોમાં કેલ્શિયમને લઈને વધુ પ્રયોગ કરાશે. અભ્યાસમાં જાણવા મળ્યું કે પ્રાણીઓ ઉપર આ અંગે અભ્યાસ કરવામાં આવ્યા બાદ આ મુજબના તારણો સપાટી પર આવ્યા છે. આમાં જણાવાયું છે કે વિટામિન ઇ શરીરના હાડકાઓને ૨૦ ટકા વધારે નબળા બનાવી દે છે. કેલ્શિયમની કમી થવાની સ્થિતીમાં ફ્રેકચરના ખતરા પણ રહે છે.

















