દેશભરમાં ૪૫ સ્થળો પર આજે રોજગાર મેળાનું આયોજન

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રૉજેક્ટનું આજે દેશભરમાં ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. આજે દેશભરમાં ૪૫ સ્થળો પર આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભરતી થયેલા ૭૧૦૦૦ને નિમણૂક પત્ર એનાયત થયા છે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરાના દિન દયાળ ઉપધ્યાય ગૃહ ખાતે હાજર રહ્યાં હતા. રોજગાર મેળા અંતર્ગત આજે ૧૩૦ પદો પર નિયુક્ત થનારા ઉમેદવારોને એનાયત પત્ર અપાયા હતા. આજવા રોડ ખાતેના દિન દયાળ ઉપાધ્યાય ગૃહ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડીયા, મેયર નિલેશ રાઠોડ સાથે મોટી સંખ્યામાં પસંદ થયેલા ઉમેદવારો હાજર રહ્યા હતા.

મંત્રી દેવુંસિંહે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો સહિત દેશમાં ૪૦૦ વધું બેઠક જીતવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક સહિતના રાજ્યોમાં ભાજપની સત્તા જવા મામલે પણ મંત્રીએ આ અંગે નિવેદન આપ્યુ હતુ. રાજ્યોના આ પ્રકારના પરિણામની અસર ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી નહીં પડી શકે. આ પહેલા ૨૦૧૯માં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતમાં અમે લોકોએ ક્લિન સ્વિપ મેળવી હતી, અને હવે આ વખતે પણ અમે ૨૦૨૪માં ક્લિન સ્વિપ મેળવીશું. સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓ ભારતીય ટપાલ સેવા, ટપાલ નિરીક્ષક, વાણિજ્ય-કમ-ટિકિટ કારકુન, જુનિયર કારકુન ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ્‌સ ક્લાર્ક, ટ્રેક મેઈન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝન ઓફિસર, ટેક્સ સહાય, સહાયક અમલીકરણ અધિકારી, તેમણે ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, ફાયરમેન, આસિસ્ટન્ટ એકાઉન્ટ્‌સ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, પ્રિન્સિપાલ, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.નોંધપાત્ર રીતે, રોજગાર મેળો રોજગાર પ્રદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિશેષ પગલું છે. કેન્દ્ર સરકારને આશા છે કે રોજગાર મેળો વધુ રોજગારી પેદા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે. નવી ભરતી કરનારાઓને રોજગાર મેળા હેઠળ કર્મચારીઓને સ્વ-પ્રશિક્ષિત કરવાની તક પણ મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતી માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.આ પહેલા ૧૩ એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની રોજગાર મેળા યોજના હેઠળ ૭૧,૦૦૦ યુવાનોને નિમણૂક પત્રો જારી કર્યા હતા. જુદા જુદા રાજ્યોના આ તમામ યુવાનોને કેન્દ્ર સરકારના વિભાગોમાં નોકરી આપવામાં આવી છે.

જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા હેઠળ દેશના ૭૧ હજાર યુવાનોને નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરી હતી. લોકોને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું હતું કે આ ૨૦૨૩નો પહેલો જોબ ફેર છે. નવા વર્ષની શરૂઆત ઉજ્જવળ ભવિષ્યની નવી આશાઓ સાથે થઈ છે.

Share This Article