હલકા અને સિંગલ એન્જિનવાળા જેટ, જેમ કે HAL Tejas અથવા Saab JAS 39 Gripen, પ્રમાણમાં ઓછું ઇંધણ વાપરે છે. આ કારણે તેમને લાંબા સમય સુધી હવામાં રાખવું સરળ બને છે. બીજી તરફ, ભારે અને ટ્વિન એન્જિનવાળા જેટ, જેમ કે F-22 Raptor અથવા Sukhoi Su-30, વધુ ઇંધણ વાપરે છે. આવા વિમાનો એક કલાકમાં હજારો લીટર ઇંધણ બળી શકે છે.
ફાઇટર જેટમાં “આફ્ટરબર્નર” ચાલુ થતાં જ ઇંધણનો ખર્ચ ખૂબ જ ઝડપથી વધી જાય છે. આ સ્થિતિમાં વિમાન 1 લીટર ઇંધણમાં 100 મીટરથી પણ ઓછી દૂરી કાપી શકે છે. એટલે કે થોડા સેકન્ડમાં જ અનેક લીટર ઇંધણ ખર્ચાઈ જાય છે. યુદ્ધના સમયે પરિસ્થિતિ વધુ પડકારજનક બની જાય છે. જ્યારે પાયલોટને ઝડપથી સ્પીડ વધારવી હોય અથવા દુશ્મનથી બચવું હોય, ત્યારે તે આફ્ટરબર્નરનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી એન્જિનને વધારાની શક્તિ આપે છે, પરંતુ સાથે ઇંધણનો ખર્ચ પણ અનેક ગણો વધી જાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ મિશનમાં જેટને 100 કિમી દૂર જવું હોય, તો માત્ર ત્યાં પહોંચવા માટે જ સૈંકડો લીટર ઇંધણની જરૂર પડે છે. તેમાં પરત આવવાનું અને યુદ્ધ દરમિયાન થતો વધારાનો ખર્ચ અલગ હોય છે. મધ્યમ પ્રકારના ફાઇટર જેટ સામાન્ય ઉડાન દરમિયાન 1 લીટર ઇંધણમાં માત્ર 300 થી 400 મીટર જેટલું જ ઉડી શકે છે. એટલે કે 1 કિમી દૂરી કાપવા માટે અંદાજે 2.5 થી 3 લીટર ઇંધણ ખર્ચાઈ જાય છે.
મહત્વની વાત એ છે કે ફાઇટર જેટનું માઈલેજ કારની જેમ “કિમી પ્રતિ લીટર”માં માપાતું નથી, પરંતુ “મીટર પ્રતિ લીટર”માં માપવામાં આવે છે. એટલે કે કાર જે દૂરી 1 લીટર પેટ્રોલમાં કાપે છે, તે જ દૂરી કાપવા માટે ફાઇટર જેટને અનેક ગણું વધારે ઇંધણ જરૂરી પડે છે.
]]>આ દિવસને વધુ વિશેષ બનાવતી એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના પણ છે. આ દિવસે મંગળ ગોચર બપોરે 3 વાગ્યાને 37 મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરશે, જે શનિની રાશિ માનવામાં આવે છે. આ દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
જ્યોતિષ અનુસાર, આ યોગના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને ધનલાભ, માન-સન્માન, કરિયરમાં સફળતા અને જીવનના અન્ય ક્ષેત્રોમાં સારા સમાચાર મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે:
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે.
* ધનલાભ થવાની શક્યતા છે
* આવકના નવા સ્ત્રોત ઊભા થશે
* નાણાકીય યોજનાઓમાં સફળતા મળશે
* સંબંધોમાં ફરીથી મધુરતા આવશે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે નવા અવસરોનો સમય છે.
* યાત્રાના યોગ બનશે
* જીવનમાં મનગમતા જીવનસાથીની એન્ટ્રી થઈ શકે છે
* નવા લોકો સાથે મુલાકાત થશે
* વાહન અથવા સંપત્તિ ખરીદવાની તક મળી શકે છે
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમય રોકાણ માટે ઉત્તમ માનવામાં આવે છે.
* રોકાણમાં લાભ મળી શકે છે
* ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે
* અટકેલા પૈસા પાછા મળી શકે છે
* પરિવારિક જીવનમાં ખુશીઓ વધશે
આ રીતે, હનુમાન જયંતી સાથે બનેલો મંગળ ગોચરનો આ શુભ સંયોગ કેટલીક રાશિઓ માટે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. જોકે, દરેક વ્યક્તિએ પોતાના કર્મ અને પ્રયત્ન પર વિશ્વાસ રાખવો જરૂરી છે.
]]>દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ગુજરાત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા)ના પ્રમુખ અને નોટરી ane પી.પી. અશ્વિન ત્રિવેદીએ ઉદગમના સામાજિક અને સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.ગુજરાત સાહિત્ય અકાદમીના સહાયક મહામાત્ર ડૉ. રિદ્ધિબા ભૂપતસિંહ ઝણકાટ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલ ગાયક શ્રી હિરેન બારોટે કાર્યક્રમની શરૂઆત માતાજીની ભક્તિમય સ્તુતિઓ “યા દેવી સર્વભૂતેષુ”, “જગદંબા મૈયા તું જોગણી” અને “માડી તારું કંકુ ખર્યું”થી કરવામાં આવી, ત્યારબાદ રાગ ખમાજ આધારિત મંગલ ગીત “સાજણ આયો રે હે સખી” દ્વારા સંગીતયાત્રાનો આરંભ થયો. આગળ વધતા ગઝલ અને સુફી સંગીતની સુમેળસભર રજૂઆતમાં “પ્યાર કા પહેલા ખત લખને મે વક્ત તો લગતા હૈ”, “ચુપકે ચુપકે રાત દિન”, “હમ તેરે શહેર મેં આયે હે”, “ચિઠ્ઠી ના કોઈ સંદેશ”, “હોશ વાલો કો ખબર શું”, “હંગામા હે ક્યું બરપા”, “મુઝે તુમ યાદ આતે હો”, “મહેફિલ મેં બાર બાર”, “આજ જાને કી જીદ ના કરો”, “તુમ ઇતના જો મુસ્કુરા રહી હો”, “કિસી નજર કો તેરા”, “ચમકતે ચાંદ કો”, “કલ ચૌદવી કી રાત થી”, “સાંસો કી માલા પે”, “દિવસો જુદાઈના જાય છે”, “એક રાજા હતો એક રાણી હતી” તેમજ સુફી રચના “તેરી નામ સે જીલું મેં” જેવી અનેક લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગઝલોથી પોતાની મધુર અને ભાવસભર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે સંગતમાં તબલા પર રુચિત દવે અને કીબોર્ડ પર મિહિર પંડ્યાએ ઉત્તમ સંગીત સાથ આપ્યો હતો.
ઉદગમ ગઝલોત્સવનું મંચ સંચાલન પારૂલબેન મેહતાએ ખુબ સુરમયી શબ્દોથી કર્યું હતું સફળ બનાવવા દિપાંશ છાબરા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષી તાથા વીણાબેન વોરા તથા ઉદગમ પરિવારના સહુ સભ્યોએ ભારે જેહમત ઉઠાવી હતી.ગાંધીનગરના સંગીતરસિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ગઝલોના મીઠા સ્વરોમાં તલ્લીન થઈ આ સાંસ્કૃતિક સાંજને યાદગાર બનાવી. આ રીતે “ઉદગમગઝલોત્સવ” ગઝલ અને સુફી સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંગીતમય અનુભવ હતો.
]]>આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના નિજ મંદિરમાંથી જ પ્રસ્થાન કરી શક્તિપીઠ બહુચરાજી સુધી પહોંચે છે. એમ કહી શકાય કે માતાજીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જતો આ એકમાત્ર એવો સંઘ છે, જ્યારે અન્ય સંઘો પોતાના ઘર અથવા અલગ સ્થળોથી શરૂ થાય છે.
વલ્લભ ભટ્ટની પરંપરા અનુસાર, સંઘના ભક્તો પાંચ રાત્રી સુધી ઘરની બહાર રહી માતાજીની ઉપાસના કરે છે અને છઠ્ઠા દિવસે સવારે દર્શન કર્યા પછી જ યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. આ કરવઠું આજે પણ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે પાલન કરવામાં આવે છે.
સંઘમાં માતાજીનું નિશાન એટલે કે ધજા વિશેષ આસ્થા ધરાવે છે. નિજ મંદિરમાંથી નીકળતી વખતે ધજાજીને માતાજીના ચરણસ્પર્શ કરાવવામાં આવે છે અને ભક્તોમાં એવી ભાવના છે કે જાણે માં બહુચર ધજામાં બિરાજમાન થઈ સંઘ સાથે યાત્રા કરે છે. માર્ગમાં ઉતારા સ્થળોએ નિયમિત આરતી અને ભોગની પરંપરા જળવાયેલી છે.
વિશેષ નોંધનીય વાત એ છે કે ધજા ઉચકનાર ભક્તો ચૈત્ર મહિનાની તાપમાં પણ ઉઘાડા પગે (ચંપલ વગર) યાત્રા કરે છે, જે તેમની અડગ શ્રદ્ધા અને તપસ્યાનું પ્રતિક છે.
સંઘ દરમિયાન જ્યાં પણ માતાજીની ધજા બિરાજમાન હોય છે, ત્યાં ભક્તો એ સ્થાનને માતાજીની હાજરી માનીને ઉંધા પગે પાછા ફરે છે અને પીઠ દર્શાવતા નથી. આ અનોખી પરંપરા બહુચરાજી પહોંચ્યા બાદ પણ યથાવત્ રહે છે.
ચૈત્ર સુદ ચૌદસના દિવસે સંઘ વલ્લભ ભટ્ટની વાવ ખાતે પહોંચે છે, જ્યાં પરંપરાગત રીતે પૂજા અને ધજાજીની વિશેષ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ વાજતે ગાજતે ઉતારા તરફ પ્રસ્થાન થાય છે.
પૂનમની વહેલી સવારે શંખલપુર સ્થિત માતાજીના આદ્યસ્થાન ખાતે જઈ મહંત શ્રી અલ્કેશભાઈ ત્રિવેદી દ્વારા પરંપરા મુજબ લાડુનો ગોખ ભરી આરતી અને ધજા અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ બહુચરાજી ખાતે વરખડી નીચેના આદ્યસ્થાનમાં પણ વિધિવત્ પૂજન કરવામાં આવે છે.
“ચાલો ચાલીને ચુવાળ જઈએ” આ સંઘનું માત્ર વાક્ય નહીં પરંતુ ભક્તિ અને પરંપરાનું પ્રતિક છે. નવાપુરામાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે, પરંતુ ચૈત્ર મહિનાનો આ સંઘ તેની ઐતિહાસિકતા અને આધ્યાત્મિક મહત્ત્વને કારણે વિશેષ સ્થાન ધરાવે છે.
આ રીતે નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરમાંથી નીકળતો આ પગપાળા સંઘ ભક્તિ, તપસ્યા અને સંસ્કૃતિનું અનોખું પ્રતિબિંબ બની આજે પણ અખંડ રીતે આગળ વધી રહ્યો છે.
]]>આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ ‘Decoded @ GLS – In Conversation with Chandni Kapadia’ શ્રેણી હેઠળ ઉદ્યોગસાહસિક ચિરંજીવ પટેલ (મેનેજિંગ ડિરેક્ટર, PC Snehal Group અને Prospero Horizon) સાથે સંવાદ કર્યો. આ ચર્ચામાં નેતૃત્વ, સ્ટાર્ટઅપ્સની સફર, ઉદ્યોગના વિસ્તરણ અને નવીનતા આધારિત ભારત નિર્માણમાં યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
સ્ટાર્ટઅપ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને મેન્ટર્સની હાજરીમાં યુવા ઉદ્યોગસાહસિકતાનો ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રદર્શનમાં ટેકનોલોજી, સામાજિક પ્રભાવ, સેવાઓ તેમજ મૂલ્ય આધારિત અને નફાકારક ક્ષેત્રોમાંથી 60થી વધુ વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સ અને વિચારો રજૂ કરવામાં આવ્યા.
આ પહેલ GLS યુનિવર્સિટીની ઇન્ક્યુબેશન સપોર્ટ સાથે યોજાઈ હતી, જેને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત સરકારનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમ ગુજરાત સરકારની Student Startup and Innovation Policy (SSIP) સાથે સંકલિત છે.
હાલના SSIP ચક્ર માટે GLS યુનિવર્સિટીને 100થી વધુ સ્ટાર્ટઅપ અરજીઓ પ્રાપ્ત થઈ, જે ત્રણ તબક્કાની કડક તપાસ, માર્ગદર્શન અને મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થઈ. પરિણામે, માત્ર શ્રેષ્ઠ અને કાર્યક્ષમ વિચારો જ પ્રદર્શન અને ફંડિંગ તબક્કે પહોંચ્યા.
આ વર્ષે ચાર વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સને ₹2.5 લાખની ફંડિંગ મંજૂર કરવામાં આવી છે, જ્યારે એક સ્ટાર્ટઅપને ₹1 લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત, 15 સ્ટાર્ટઅપ્સને તેમના ઉત્તમ વિચારો અને વિકાસ ક્ષમતા બદલ વિશેષ માન્યતા અપાઈ છે.
GLS યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં 100થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપ્યું છે, જે તેની મજબૂત ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ નેક્સસમાં રજૂ થયેલો દરેક વિદ્યાર્થીનો વિચાર ભવિષ્યના વિકસિત ભારતનું બીજ છે. GLS યુનિવર્સિટી શૈક્ષણિક ઉત્તમતા સાથે નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સામાજિક જવાબદારીને સમન્વયિત કરવાની દિશામાં સતત કાર્યરત છે.”
]]>આ વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. ખાસ વાત એ છે કે કાર અને જીપ માટેના ટોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ અન્ય વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. મુંબઈ-દિલ્હી માર્ગ પર આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર સ્થિત આ ટોલ પ્લાઝા વડોદરા અને ભરૂચ જિલ્લાઓને જોડે છે. ટોલ દરોમાં વધારો કરવાની જાહેરાત National Highways Authority of India દ્વારા કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા દર મુજબ મિનિ બસ અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે ટોલ ₹250 થી વધારી ₹255 કરવામાં આવ્યો છે. ટ્રક અને બસ માટે ₹520 થી વધારી ₹530, ત્રણ એક્સલ વાહન માટે ₹565 થી વધારી ₹580 અને 4 થી 6 એક્સલ વાહન માટે ₹815 થી વધારી ₹835 કરવામાં આવ્યો છે. જ્યારે કાર અને જીપ માટેનો ટોલ દર ₹155 યથાવત્ રાખવામાં આવ્યો છે.
ભરથાણા ટોલ પ્લાઝા દેશના સૌથી વધુ આવક આપતા ટોલ પ્લાઝામાંથી એક ગણાય છે. મુંબઈ-દિલ્હી હાઈવે પર હોવાને કારણે અહીં વાહનોની અવરજવર મોટી સંખ્યામાં થાય છે. Ministry of Road Transport and Highways દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય રાજમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે પર કુલ ટોલ વસૂલાત અંદાજે ₹2.27 લાખ કરોડ સુધી પહોંચી છે.
આંકડા મુજબ વર્ષ 2024-25 દરમિયાન ભરથાણા ટોલ પ્લાઝા પર ₹472.50 કરોડનું ટોલ કલેક્શન થયું હતું, જ્યારે 2023-24માં આ આંકડો ₹472.65 કરોડ રહ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે ભરથાણા ટોલ પ્લાઝા સતત ઊંચી આવક ધરાવતો ટોલ પ્લાઝા છે.
]]>
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણય હેઠળ પેટ્રોલ અને ડીઝલ પરના કેન્દ્રીય એક્સાઈઝ શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવી દર મુજબ પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી ₹11.9 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹7.8 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે.
આ પગલું મુખ્યત્વે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થતા નુકસાનને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉથલપાથલના કારણે કંપનીઓને અંડર-રિકવરીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે, સાથે સાથે તેલ કંપનીઓને પણ આર્થિક રીતે થોડી સ્થિરતા મળશે. આગામી સમયમાં દર 15 દિવસની સમીક્ષા આધારે ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે બજારમાં પારદર્શિતા અને સંતુલન જળવાઈ રહેશે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની મધ્ય પૂર્વમાં ઊર્જા માળખા પર અસર પડી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાદી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ 28 ફેબ્રુઆરીએ પ્રતિ બેરલ $68 થી વધીને 7 માર્ચે $100થી વધુ થઈ ગયા હતા. શુક્રવાર બપોર સુધીમાં ભાવ પ્રતિ બેરલ $110ની આસપાસ હતો. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના દરિયાઈ ક્રૂડ તેલ અને ગેસના 20-25% પરિવહન કરે છે. ભારત તેના ક્રૂડ તેલનો 40-50% આ માર્ગ દ્વારા આયાત કરે છે. કતાર અને યુએઈમાંથી LNG અને LPGનો મોટો હિસ્સો પણ આ માર્ગ દ્વારા આવે છે, જે 330 મિલિયનથી વધુ ઘરો માટે મહત્વપૂર્ણ છે.
]]>આ પરિસ્થિતિમાં જાગૃતિ અને શિક્ષણ જ સૌથી અસરકારક સુરક્ષા બની શકે છે.
આ જ દિશામાં Concept of Living Charitable Trust દ્વારા સ્થાપક મોનાલી સુથારના નેતૃત્વ હેઠળ *“સુરક્ષિત ભારત મિશન”*ની શરૂઆત કરવામાં આવી છે. “Protecting Childhood. Empowering Women.” ના વિઝન સાથે શરૂ થયેલ આ મિશન સમગ્ર ગુજરાતના 263 તાલુકાઓ સુધી પહોંચવાનો સંકલ્પ ધરાવે છે.
આ અભિયાનની શરૂઆત અમદાવાદના સાણંદ તાલુકાથી થઈ રહી છે અને આગળ વડોદરા અને સુરત જિલ્લાના તાલુકાઓ તથા ગામડાઓમાં વિસ્તરણ થશે. મિશન હેઠળ સરકારના શિક્ષકો અને સ્ટાફને POCSO Act અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણને ઓળખી શકે અને યોગ્ય પગલાં લઈ શકે. સાથે સાથે, ગામડાં સ્તરે બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
Concept of Living Charitable Trust છેલ્લા 10 વર્ષથી સમગ્ર ભારતમાં કાર્યરત છે અને 26 રાજ્યોમાં પોતાની હાજરી સાથે 2500થી વધુ ટ્રેનર્સની ટીમ ધરાવે છે. સંસ્થાએ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો સુધી પહોંચીને વિવિધ સામાજિક ટ્રેનિંગ કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે એમ્પેનલમેન્ટ તથા તમામ જરૂરી નોંધણીઓ ધરાવતી આ સંસ્થા વિશ્વસનીયતા અને પારદર્શિતાનો મજબૂત આધાર પ્રદાન કરે છે.
સ્થાપક મોનાલી સુથાર જણાવે છે, “સુરક્ષા દરેક બાળક અને મહિલાનો અધિકાર છે, અને આ અધિકાર સુધી પહોંચાડવું સમાજની સંયુક્ત જવાબદારી છે.” “જ્યારે શિક્ષક, માતા-પિતા અને બાળકો જાગૃત બને છે, ત્યારે જ સાચી સુરક્ષા શક્ય બને છે.”
આ મિશન દ્વારા ગુજરાતને લાંબા ગાળે અનેક મહત્વપૂર્ણ લાભ મળશે — શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનશે, બાળકોમાં આત્મવિશ્વાસ વધશે, મહિલાઓ વધુ સશક્ત બનશે અને સમાજમાં શોષણ સામે અવાજ ઉઠાવવાની હિંમત વધશે. આ પહેલ રાજ્યને વધુ સુરક્ષિત અને જાગૃત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
સુરક્ષિત ભારત મિશન માત્ર એક અભિયાન નથી, પરંતુ એક સામાજિક પરિવર્તનની શરૂઆત છે.
તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ અને કોર્પોરેટ્સને આ મિશનમાં સ્વયંસેવક તરીકે જોડાવા, સહયોગ આપવા આમંત્રણ આપે છે, જેથી મળીને એક સુરક્ષિત અને સશક્ત સમાજનું નિર્માણ કરી શકાય. વધુ માહિતી માટે સંપર્ક conceptoflivingcharitabletrust@gmail.com
]]>તે જ સમયે અબુ ધાબી અને શારજાહ સહિત યુએઈના અનેક વિસ્તારોમાં અચાનક હવામાન બદલાયું હતું. ભારે વરસાદ, પવન અને વીજળીના કડાકા સાથે વાતાવરણ ઉથલપાથલ થયું હતું. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો અને તસવીરોમાં બુર્જ ખલીફાની ટોચ પર વીજળી ત્રાટકતી સ્પષ્ટ દેખાય છે.
Wow ..#Dubai pic.twitter.com/aQAoB5FGnO
— أحمد خليفة (@_A_khalifa) March 26, 2026
આ પહેલા પણ આ મહિનાની શરૂઆતમાં કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં બુર્જ ખલીફા નજીક વિસ્ફોટ અને ધુમાડો જોવા મળ્યો હતો. એવા દાવા કરવામાં આવ્યા હતા કે ઈરાન દ્વારા દુબઈને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા, જેના કારણે કેટલીકવાર એરપોર્ટ પણ બંધ કરવા પડ્યા હતા.
જો કે, બુર્જ ખલીફાની સુરક્ષા માટે અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટાવરની ટોચ પર વીજળીથી બચાવવા માટે લાઇટનિંગ રૉડ (વીજળી સળિયો) લગાવવામાં આવ્યો છે. જ્યારે પણ તોફાની હવામાન બને છે, ત્યારે વીજળી આ સળિયા તરફ ખેંચાય છે, જેના કારણે ઈમારતને નુકસાન થતું અટકે છે.
]]>