કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારી-કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ  

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

રાજ્યમાં સીધી ભરતીથી નિમણુંક પામ્યા બાદ અધિકારી-કર્મચારીઓએ અજમાયશી સમય દરમિયાન તથા બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સી.સી.સી. કે સી.સી.સી.પ્લસ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. છેલ્લા થોડા વર્ષોમાં માસ્ટર્સ ડીગ્રી તથા બેચલર ડીગ્રી કક્ષાની કોમ્પ્યુટરને લગતી ડીગ્રીઓ ધરાવતા તથા કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળની સી.સી.સી. કે સી.સી.સી.પ્લસ પરીક્ષાના અભ્યાસક્રમની લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતીમાં સફળ થયા છે તેને ધ્યાને લઇને સંબંધિત સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી. કે સી.સી.સી.પ્લસની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ અંગેના ઠરાવ અનુસાર બેચલર ઓફ એન્જિનીયરીંગ ઇન ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની ડીગ્રી ધરાવતા ઉમેદવારોને કોમ્પ્યુટર કૌશલ્યની ફક્ત સી.સી.સી.ની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન ડીગ્રી ધરાવતા ઉમેદવારોને કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી. કે સી.સી.સી.પ્લસની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Share This Article