છેલ્લા ૧૬ વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા અને મૂળ પોરબંદરના વતની યુવાન નું ૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે ત્યાંના લુટારૂઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ કર્યું હતું. રવિવારે યુવકના મૃતદેહને વતન લાવામાં આવતા પરિવારમાં શોક છયાવો હતો.
આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ ગુજરાતના પોરબંદરના ૩૬ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા હતા અને ત્યાં તેમનો ‘ગેનાગેનાદ‘ (પધારો…પધારો) નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતાં હતા. જ્યારે ત્યાંની લોકલ ગેંગના લૂંટારૂઓએ વિનયનું અપહરણ કર્યું હતું.
૩ માર્ચની રાત્રે ૮:૧૦ કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરીંગ કરીને ગણતરીની સેકન્ડોમાં જ વિનયનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં લુટારૂઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ કર્યા બાદ વિનયના સાથીદારોને ફોન કરીને ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને વિનય સાથે વાત કરાવવાની શરતે લૂંટારૂઓની માગને સ્વીકારવામાં આવી હતી. જેમાં આરોપીઓએ થોડા સમય પછી વાત કરાવીશું એમ કહ્યું હતું. જાેકે, આ પછી ત્રણ દિવસથી વધુ સમય થયો છતાં લૂંટારૂઓનું ફોન આવ્યો ન હતો. આ ઘટનામાં વિનય ના પરિવાર દ્વારા ગૃહમંત્રી અને પોરબંદરના સ્થાનિક નેતાઓને પણ જાણ કરી હતી.