“મારી સામે બે એર હોસ્ટેસ સળગી રહી હતી,” પ્લને ક્રેશમાં બચેલા રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદમાં સર્જાયેલી ભયંકર વિમાન દુર્ઘટનાએ દેશ જ નહીં વિદેશના લોકોને પણ હચમચાવી નાખ્યાં છે. સ્પીડમાં ટેકઓફ કરતી વખતે વિમાન સીધું એક હોસ્પિટલની હોસ્ટેલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતુ. ભારે વિસ્ફોટ, આગ, ધૂમાડો અને મોતની ચીચયારીઓ વચ્ચે દરેક લોકો આઘાતમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા. જ્યારે ચમત્કારિક રીતે બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમાર સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને તેના ખબર અંતર પૂછ્યાં હતા.

હોસ્પિટલમાં વિશ્વાસ કુમારે એક ન્યૂઝ ચેનલને પોતાની આપવીતી સંભળાવી હતી, તેણે જણાવ્યું કે પ્લેન જેવું રનવે પરથી સ્પીડ પકડવા લાગ્યું ત્યારથી જ કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધુ થંભી ગયું હતુ. શાંતિ છવાઈ ગઈ અને એકદમ ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ચાલુ તઈ ગઈ. લાગતુ હતુ કે જાણે ટેકઓફ માટે પાયલટે સંપૂર્ણ જોર લગાવી દીધું હોય. બસ પછી શું તે ફૂલ સ્પીડે હોસ્ટેલની બિલ્ડીંગમાં ઘૂસી ગયું.

વિશ્વાસે જણાવ્યું કે મારી સીટ પ્લેનના જે ભાગમાં હતી, તે બિલ્ડિંગના નીચેના ભાગમાં ટકરાયું હશે, ઉપરના ભાગમાં આગ લાગી ગઈ હતી. ઘણાં લોકો ત્યાં જ ફસાઈ ગયા. કદાચ હું સીટ સહિત નીચે પડી ગયો હતો. હું જેમ તેમ નીકળી શક્યો. દરવાજો તૂટી ગયો હતો અને સામે થોડી ખાલી જગ્યા દેખાઈ, તો નીકળવાનો પ્રયત્ન કર્યો, તેણે જણાવ્યું કે, બીજી બાજુ દીવાલ હતી, ત્યાંથી કદાચ કોઈ નીકળી શક્યું નહીં. રમેશ વિશ્વાસે જણાવ્યું કે, તેની આંખોની સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધુ જ સળગી રહ્યું હતુ. આ દુર્ઘટનામાં વિશ્વાસનો ડાબો હાથ દાજી ગયો હતો. પરંતુ તેનો જીવ બચી ગયો. તેણે જણાવ્યું કે જેવો તે બહાર નીકળ્યો આગ ફેલાઈ રહી હતી. થોડી સેકન્ડ મોડું થયું હોત તો કદાચ…

Share This Article