હવે અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પીડ કોરિડોરને બહાલી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના વતન શહેરને વધુ એક ભેંટ આપી દીધી છે. આના ભાગરુપે સરકારે અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોરને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ૧૧૩૦૦ કરોડથી વધુનો છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારા આખરે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ ૧૧,૩૦૦ કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. રાજ્ય સરકારે જમીન સંપાદન માટે સમસ્યા ન ઉદ્દભવે તે માટે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર ૪૭ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ રૂટ પર ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં અને બીજા શહેરોની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રોજેકટની મંજૂરી આપતાં આ રૂટ હેઠળ આવતાં લાખો પેસેન્જરોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ છે. મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ(જીઆઇડીબી)ના સીઈઓ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે ૯ ટકાના દરે વધી રહી છે. ૨૦૦૭માં બંને શહેરો વચ્ચે દર વર્ષે ૧૯ લાખ લોકો મુસાફરી કરતા જે ૨૦૧૭માં વધીને પ્રતિવર્ષ ૪૫ લાખ થઈ ગયા હતા.

નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર ત્રણ કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ રાજકોટ વચ્ચે વર્ષે ૫૦ લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર થતાં લાખો-કરોડો લોકોને આ પ્રોજેક્ટનાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે અને તે જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા કેટલાક સર્વે કરવા માટે કહ્યું છે. સરકાર અમદાવાદ-મુબંઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જ આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેક્ટ માટે ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી ૩૦ વર્ષ સુધી ૨૩૦૦ ડાયરેક્ટ અને ૭૩૦૦ ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે એમ તેમણે ઉમેર્યું હતું.

Share This Article