યમુના એક્સપ્રેસ વે પર બસ દુર્ઘટનામાં ૮ના મૃત્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગ્રેટર નોયડા :  યમુના એકસપ્રેસ વે પર આજે સવારે યાત્રીઓની ભરચક એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. સાથે સાથે આઠ લોકોના મોત પણ થયા હતા. ઘાયલ થયેલા ૩૦ લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ યાત્રીઓને જેવરના કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે પાંચ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઇ હતી. પુરજાશમાં જતી બસ એક કન્ટેનરમાં ઘુસી જતા આ દુર્ઘટના થઇ હતી. દુર્ઘટના એકટલી પ્રચંડ હતી કે તેમાં બસને ભારે નુકસાન થયુ હતુ. બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. મળેલી માહિતી મુજબ બસ આગરાથી ગ્રેટર નોયડા તરફ જઇ રહી હતી. બનાવને લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને તમામ જરૂરી સારવાર આપવા માટે કહેવામાં આવ્યુ છે.

પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી હતી. બસ દુર્ઘટનાને હાલની   સૌથી મોટી દુર્ઘટના તરીકે ગણવામાં આવે છે.

Share This Article