અમદાવાદમાં વધતા જતા પ્રદુષણ અને કોરોના મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી સવારે ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. માત્ર જીવનજરૂરિયાતની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટે જ ભારે વાહનોને મંજુરી આપવામાં આવશે.
જોકે આરટીઓનામાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે ૧૦ થી ૬ સુધી જ છૂટછાટ આપવામાં આવશે. તેવી જ રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓ, જેમ કે દૂધ-શાકભાજી, ફ્રુટ્સ, પેટ્રોલ તેમજ ડીઝલનાં વાહનોને સવારે ૯ થી બપોરે ૧ અને સાંજના ૪થી ૯ સિવાયના સમયગાળામાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વધતુ જતુ પ્રદુષણ માથાનો દુખાવો બન્યું છે. તેવી જ રીતે માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાહનો એક ચિંતાનું કારણ બન્યા છે. આ સમસ્યાના કાયમી નિકાલના અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે, હવેથી સવારે ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પ્રવેશી નહીં શકે. આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે ૧૦ થી ૬ સુધી જ છૂટછાટ આપવામાં આવે છે.
જોકે લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન ૭૫૦૦ કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે. આ સિવાયના ભારે વાહનને શહેરમાં અવરજવર કરવા પર સવારે ૮ થી રાત્રે ૯ વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી ૩૩ સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.
સુભાષ બ્રિજ આરટીઓ કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચિમન ભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે. સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા ૧૩૨ ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવર-જવર કરી શકાશે.
તેવી જ રીતે વસ્ત્રાલ આરટીઓ કચેરીના કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફક્ત આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે. જીવનજરૂરી ચીજવસ્તુઓ, જેમ કે દૂધ-શાકભાજી, ફ્રુટ્સ, પેટ્રોલ તેમજ ડીઝલનાં વાહનોને સવારે ૯થી બપોરે ૧ અને સાંજના ૪થી ૯ સિવાયના સમયગાળામાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.
આ કાયદાનો ટુંક સમયમાં જ અમલ શરૂ થઈ જશે. ભારે વાહનોના પ્રતિબંધથી શહેરના વાતાવરણ અને અકસ્માતોમાં ઘણી રાહત થશે તેમ માનવામાં આવે છે.