• Latest
  • Trending

નિપાહ વાઇરસના કારણે કેરળમાં બે લોકોના મોત થયાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ

2 weeks ago

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

15 mins ago

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

28 mins ago

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

6 hours ago

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

9 hours ago

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

1 day ago

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PRCI) દ્વારા પબ્લિક રિલેશન્સ સોસાયટી દિલ્હી (PRSD)ના સહયોગથી આયોજિત થઇ 17મી વૈશ્વિક કોમ્યુનિકેશન કોન્ક્લેવ

2 days ago

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે

3 days ago

આવી ગઈ છે અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક, શહેરની સર્વશ્રેષ્ઠ ફેશન ઇવેન્ટ સિઝન 2

3 days ago

કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

3 days ago

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

3 days ago

અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ

3 days ago

અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત

3 days ago

ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

3 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Friday, September 29, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

નિપાહ વાઇરસના કારણે કેરળમાં બે લોકોના મોત થયાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ

KhabarPatri News by KhabarPatri News
September 14, 2023
in ભારત, સ્વાસ્થ્ય
0
Share on FacebookShare on Twitter

નિપાહ વાયરસ ફરી એકવાર કેરળમાં પ્રવેશ્યો છે. સંક્રમણને કારણે બે લોકોના મોત બાદ કેરળ સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે મૃત્યુ પામેલા લોકોની નજીકના લોકોને સારવાર આપવામાં આવી રહી છે. સંક્રમણને રોકવા માટે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે. કેરળના કોઝિકોડમાં મૃત્યુના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અન્ય ચાર લોકોના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કેરળમાં નિપાહ વાયરસનો આ પહેલો કેસ નથી. આ પહેલા કોઝિકોડમાં ૨૦૧૮ અને ૨૦૨૧માં પણ આ વાયરસના કારણે મોત થયા હતા. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે નિપાહ વાયરસ શું છે અને તે કેટલો ઘાતક છે અને કેરળમાં તેના કેસ વારંવાર કેમ નોંધાય છે? નિષ્ણાતો પાસેથી આ પ્રશ્નોના જવાબો સમજો. નિપાહ વાયરસ શું છે અને તે કેટલો જીવલેણ છે?.. જે જણાવીએ, નિપાહ વાયરસ તે એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, તેનો પ્રથમ કેસ ૧૯૯૮માં મલેશિયાના એક ગામ સુંગાઈ નિપાહમાં નોંધાયો હતો. લોકો સંક્રમિત થયા પછી, તેના પર સંશોધન શરૂ થયું અને તેનું નામ ગામના નામ પર રાખવામાં આવ્યું. પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં તેનો ચેપ લાગ્યો હતો. માત્ર માણસોમાં જ નહીં, કૂતરા, બિલાડી, બકરી અને ઘોડા જેવા પાલતું પ્રાણીઓમાં પણ તેના કેસ જોવા મળ્યા હતા.

WHO અનુસાર, તેનું સંક્રમણ જીવલેણ છે. ચેપ પછી દર્દીઓના મૃત્યુનું જોખમ ૪૦ થી ૭૫ ટકા સુધી હોય છે. જો કે, તે દર્દીને કેટલી ઝડપથી સારવાર આપવામાં આવી તેના પર પણ આધાર રાખે છે.આ વાયરસને લઈને અત્યાર સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી, તેથી હાલની દવાઓ દ્વારા તેના લક્ષણોને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિપાહ વાયરસ સાથે કેરળનું શું કનેક્શન?.. જે જણાવીએ, જો આપણે નિપાહ વાયરસના કેસો પર નજર કરીએ, તો આપણને જોવા મળશે કે તેના મોટાભાગના કેસ કેરળમાં જ નોંધાયા છે. આવું શા માટે છે તેનો જવાબ બાંગ્લાદેશમાં નિપાહ વાયરસ શોધનાર પ્રોફેસર સ્ટીફન લુબીએ આપ્યો હતો. નિપાહ વાયરસ પર છેલ્લા ૧૫ વર્ષથી સંશોધન કરી રહેલા પ્રોફેસર લુબીનું કહેવું છે કે નિપાહ વાયરસ દક્ષિણ એશિયામાં જોવા મળતા મોટા ચામાચીડિયાથી ફેલાય છે. આ ચામાચીડિયાને ફ્રુટ બેટ કહેવામાં આવે છે કારણ કે તે ફળોનો રસ ચૂસે છે અને તાડીને ભોજન બનાવે છે. આ ભારતના દક્ષિણી રાજ્યોમાં સૌથી વધુ છે. ત્યારે અહીં આ વધુ જોવા મળે છે. આ ચામાચીડિયા નિપાહ વાયરસ ફેલાવવાનું કામ કરે છે.

કેરળમાં તેમની સંખ્યા વધુ છે. આ ઉપરાંત તેઓ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ જોવા મળે છે. શું છે તેના લક્ષણો અને કઈ કાળજી રાખવી?.. જે વિષે જણાવીએ, નિપાહ વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાય છે. તેથી સતર્ક રહેવાની જરૂર છે. ચેપ પછી દર્દીઓમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેમ કે વાયરલ તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા. આ લક્ષણો ૨ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. તેથી, જો આવું થાય, તો નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરુરી છે. ચેપની પુષ્ટિ કરવા માટે સેરોલોજી, સીરમ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ, હિસ્ટોપેથોલોજી, પીસીઆર અને વાયરસ આઇસોલેશન અને ELISA ટેસ્ટ કરવામાં આવે છે. જોખમ ઘટાડવા માટે સાબુથી હાથ ધોવા. ઝાડ પરથી પડી ગયેલા ફળ ખાવાનું ટાળો. અથવા પક્ષી દ્વારા ચાંચ મારેલા ફળો ખાવાનું ટાળો. તાવ આવે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આથાવાળી તાડી પીવાનું ટાળો.

Tags: DeathHealth DepartmentkeralaNipah Virusઆરોગ્ય વિભાગકેરળનિપાહ વાઇરસમોત
ShareTweetSendShare
Previous Post

મણિપુરમાં પોલીસ અને આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષ વધ્યો

Next Post

મધ્યપ્રદેશમાં બાબા વિરુદ્ધ FIRની માંગ : લોકોએ કહ્યું,"કાર્યવાહી નહીં થાય તો, ધર્મ બદલી નાખીશું.."

Related Posts

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

by KhabarPatri News
September 29, 2023
0

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના...

Read more

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

by KhabarPatri News
September 29, 2023
0

કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ, ૫૬મી નેટવર્ક પ્લાનિંગ જૂથની બેઠકમાં છ પ્રોજેક્ટ્‌સ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી...

Read more

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે

by KhabarPatri News
September 27, 2023
0

અમદાવાદ : ભારતની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 18મી 20મી ઓક્ટોબર, 2023...

Read more

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

by KhabarPatri News
September 26, 2023
0

દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી ઠ થી...

Read more

ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

by KhabarPatri News
September 26, 2023
0

ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે...

Read more
Load More
Next Post

મધ્યપ્રદેશમાં બાબા વિરુદ્ધ FIRની માંગ : લોકોએ કહ્યું,"કાર્યવાહી નહીં થાય તો, ધર્મ બદલી નાખીશું.."

દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In